૧) શું તમે (તેને પણ) જોયો જે બદલાના દિવસને જુઠલાવે છે ?
૨) આ જ તે છે જે અનાથને ધક્કા મારે છે,
૩) અને ગરીબને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતો.
૪) તે નમાઝીઓ માટે ખેદ છે (અને વૈલ નામની જહન્નમની જગ્યા) છે.
૫) જે પોતાની નમાઝથી બેપરવાહ છે.
૬) જે દેખાડો કરે છે,
૭) અને સામાન્ય જરૂરિયાતથી રોકે છે.