99 - The Earthquake - Az-Zalzalah
:1
૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
:2
૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
:3
૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?
:4
૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
:5
૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.
:6
૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
:7
૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
:8
૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.