ઓલ ઇસ્લામ લાઇબ્રેરી
1

૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

2

૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

3

૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?

4

૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

5

૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.

6

૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

7

૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

8

૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.