ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

99 - The Earthquake - Az-Zalzalah

:1

૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.

:2

૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.

:3

૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?

:4

૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.

:5

૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.

:6

૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.

:7

૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.

:8

૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.