1
૧) જ્યારે જમીન પૂરેપૂરી હલાવી નાખવામાં આવશે.
2
૨) અને જમીન પોતાનો બોજ બહાર કાઢી ફેંકી દેશે.
3
૩) માનવી કહેવા લાગશે કે આને શું થઇ ગયુ ?
4
૪) તે દિવસે જમીન પોતાની દરેક વાતોનું વર્ણન કરી દેશે.
5
૫) એટલા માટે કે તારા પાલનહારે તેને આદેશ આપ્યો હશે.
6
૬) તે દિવસે લોકો અલગ-અલગ સમુહ બનીને (પાછા ) ફરશે. જેથી તેમને તેમના કર્મ બતાવવામાં આવે.
7
૭) બસ ! જેણે રજભાર ભલાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.
8
૮) અને જેણે રજભાર બુરાઇ કરી હશે, તે તેને જોઇ લેશે.