All Islam Directory
1

૧) સોગંદ છે અંજીર અને જેતૂનના.

2

૨) અને તૂરે સીનીન્ ના (એક પર્વત નું નામ).

3

૩) અને તે શાંતિવાળા શહેરના.

4

૪) નિ:શંક અમે માનવીનું સર્વોત્તમ સ્વરૂપમાં સર્જન કર્યુ.

5

૫) પછી તેને નીચા માં નીચો કરી દીધો.

6

૬) પરંતુ જે લોકો ઇમાન લાવ્યા અને (પછી) સદકાર્યો કર્યા તો તેમના માટે એવો બદલો છે જે કદી ખત્મ નહીં થાય.

7

૭) બસ ! તને બદલાના દિવસને જુઠલાવવા પર કઇ વસ્તુ ઉભારે છે.

8

૮) શું અલ્લાહ તઆલા (બધા) નિર્ણયકર્તાઓ નો નિર્ણયકર્તા નથી.