ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

93 - The Morning Hours - Ađ-Đuĥaá

:1

૧) સોગંદ છે પ્રકાશિત સમયનાં.

:2

૨) અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.

:3

૩) ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે.

:4

૪) નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે.

:5

૫) તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો.

:6

૬) શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું ?

:7

૭) અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.

:8

૮) અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા ?

:9

૯) બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો.

:10

૧૦) અને ન માંગવાવાળા ને ધુત્કારો.

:11

૧૧) અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.