All Islam Directory
1

૧) સોગંદ છે પ્રકાશિત સમયનાં.

2

૨) અને સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.

3

૩) ન તો તારા પાલનહારે તને છોડયો છે, અને ન તો તે કંટાળ્યો છે.

4

૪) નિશ્ર્ચિતપણે તમારા માટે પરિણામ શરૂઆત કરતા ઉત્તમ હશે.

5

૫) તમને તમારો પાલનહાર ખુબ નજીકમાં (ફળ) આપશે અને તમે ખુશ થઇ જશો.

6

૬) શું તેણે તમને અનાથ જોઇ શરણ ન આપ્યું ?

7

૭) અને તમને માર્ગથી અજાણ જોઇ માર્ગદર્શન ન આપ્યું.

8

૮) અને તમને નિર્ધન જોઇ ધનવાન ન બનાવી દીધા ?

9

૯) બસ ! તમે અનાથ સાથે કઠોર વ્યવહાર ન કરો.

10

૧૦) અને ન માંગવાવાળા ને ધુત્કારો.

11

૧૧) અને પોતાના પાલનહારની કૃપાનું વર્ણન કરતા રહો.