ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

92 - The Night - Al-Layl

:1

૧) સોગંદ છે રાત્રિના જ્યારે છવાઇ જાય.

:2

૨) સોગંદ છે દિવસ ના જ્યારે પ્રકાશિત થાય.

:3

૩) સોગંદ છે તે હસ્તીના જેણે નર અને માદાનું સર્જન કર્યુ.

:4

૪) નિ:શંક તમારો પ્રયાસ વિવિધ પ્રકારનો છે.

:5

૫) જેણે આપ્યું (અલ્લાહના રસ્તામાં) અને ડર્યો (પોતાના પાલનહાર થી)

:6

૬) અને સદવાતોની પૃષ્ઠિ કરતો રહશે.

:7

૭) તો અમે પણ તેને સરળ રસ્તાની સહુલત કરી દઇશું

:8

૮) પરંતુ જેણે કંજુસી કરી અને બેપરવાહી દાખવી.

:9

૯) અને સદવાતોને જુઠલાવી.

:10

૧૦) તો અમે પણ તેની તંગી અને મુશ્કેલીનો સામાન સરળ કરી દઇશું.

:11

૧૧) તેનું ધન તેને (ઉંધા) પડતી વખતે કશું કામ નહીં લાગે.

:12

૧૨) નિ:શંક રસ્તો બતાવવો અમારા શિરે છે.

:13

૧૩) અને અમારા જ હાથમાં છે આખિરત અને દુનિયા.

:14

૧૪) મેં તો તમને ભડકે બળતી આગથી સચેત કરી દીધા છે.

:15

૧૫) જેમાં ફકત તે જ વિદ્રોહી દાખલ થશે.

:16

૧૬) જેણે જુઠલાવ્યું અને (તેના અનુસરણથી) મોઢું ફેરવી લીધું.

:17

૧૭) અને તેનાથી એવો વ્યક્તિ દૂર રાખવામાં આવશે જે ખુબ જ સંયમી હશે.

:18

૧૮) જે પવિત્ર થવા માટે પોતાનું ધન આપે છે.

:19

૧૯) કોઇનો તેના પર કોઇ ઉપકાર નથી કે જેનો બદલો આપવામાં આવતો હોય.

:20

૨૦) પરંતુ ફકત પોતાના પાલનહાર ઇઝઝતવાળા તથા સર્વોચ્ચ ની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે.

:21

૨૧) નિ:શંક તે (અલ્લાહ પણ) નજીકમાં રાજી થઇ જશે.