ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

84 - The Sundering - Al-'Inshiqāq

:1

૧) જ્યારે આકાશ ફાટી જશે.

:2

૨) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે. અને તેના જ લાયક તે છે.

:3

૩) અને જ્યારે જમીન (ખેંચીને) ફેલાવી દેવામાં આવશે.

:4

૪) અને તેમાં જે કંઇ પણ છે તેને તે બહાર ફેંકી દેશે અને ખાલી થઇ જશે.

:5

૫) અને પોતાના પાલનહારના આદેશ પર કાન ધરશે અને તેના જલાયક તે છે.

:6

૬) હે માનવી ! તું પોતાના પાલનહારને મળવા સુધી આ કોશિશ અને દરેક કાર્ય અને મહેનત કરી તેનાથી મુલાકાત કરવાવાળો છે.

:7

૭) તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે.

:8

૮) તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે.

:9

૯) અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે.

:10

૧૦) હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે.

:11

૧૧) તો તે મૃત્યુને પોકારશે.

:12

૧૨) અને ભડકે બળતી જહન્નમમાં દાખલ થશે.

:13

૧૩) આ વ્યક્તિ પોતાના સ્વજનો સાથે (દુનિયામાં) ખુશ હતો.

:14

૧૪) તે સમજતો હતો કે અલ્લાહની તરફ પાછા ફરવાનું જ નથી.

:15

૧૫) કેમ નહી, નિ:શંક તેનો પાલનહાર તેને સારી રીતે જોઇ રહ્યો હતો.

:16

૧૬) હું સોંગદ ખાઉ છુ શફક (સંધ્યાની લાલાશ) ના.

:17

૧૭) અને રાત્રિના અને તેની સમેટી લીધેલી વસ્તુઓ ના સોંગદ.

:18

૧૮) અને ચંદ્ર ના જ્યારે તે સંપૂર્ણ થઇ જાય છે.

:19

૧૯) નિ:શંક તમે એક સ્થિતિથી બીજી સ્થિતિ પર પહોંચશો.

:20

૨૦) તેમને શું થઇ ગયું છે કે ઇમાન નથી લાવતા.

:21

૨૧) અને જ્યારે તેમની પાસે કુરઆન પઢવામાં આવે છે તો સજદો નથી કરતા.

:22

૨૨) પરંતુ જે લોકોએ ઇન્કાર કર્યો તે જુઠલાવી રહ્યા છે.

:23

૨૩) અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે, જે કંઇ તેઓ હૃદયો માં રાખે છે.

:24

૨૪) તેઓને દુ:ખદાયક યાતનાની શુભસુચના સંભળાવી દો.

:25

૨૫) હા, ઇમાનવાળાઓ અને સદકાર્યો કરવાવાળાઓ ને અગણિત અને અનંત બદલો છે.