ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

83 - The Defrauding - Al-Muţaffifīn

:1

૧) વિનાશ છે માપતોલમાં ઘટાડો કરનારાઓ માટે.

:2

૨) જ્યારે લોકો પાસેથી માપી-તોલી ને લે છે તો પૂરેપૂરૂ લે છે.

:3

૩) અને જ્યારે તેમને માપીને કે તોલીને આપે છે તો ઓછુ આપે છે.

:4

૪) શું તેમને પોતાના મર્યા પછી જીવિત થવાનો વિચાર નથી.

:5

૫) તે મોટા દિવસ માટે.

:6

૬) જે દિવસે દરેક લોકો જગતના પાલનહારની સામે ઉભા હશે.

:7

૭) નિ:શંક દુરાચારીઓના કર્મપત્ર સિજ્જીનમાં છે.

:8

૮) તને શું ખબર કે સિજ્જીન શું છે ?

:9

૯) (આ તો) લેખિત પુસ્તક છે.

:10

૧૦) તે દિવસે જુઠલાવનારા માટે વિનાશ છે.

:11

૧૧) જેઓ બદલાના દિવસને જુઠલાવે છે.

:12

૧૨) તેને ફકત તેઓ જ જુઠલાવે છે જેઓ સીમાઓ નું ઉલ્લંઘન કરનારા (અને) ગુનેહગાર છે.

:13

૧૩) જ્યારે તેની સામે અમારી આયતો પઢવામાં આવે છે, તો કહી દે છે કે આ તો પુર્વજોની કાલ્પનિક વાર્તાઓ છે.

:14

૧૪) કદાપિ નહી, પરંતુ તેમના હૃદયો પર તેમના કર્મોના કારણે કાટ (ચઢી ગયો) છે.

:15

૧૫) કદાપિ નહી, આ લોકોને તે દિવસે પોતાના પાલનહારથી છેટા રાખવામાં આવશે.

:16

૧૬) ફરી તે લોકો ચોક્કસપણે જહન્નમમાં ઝોંકવામાં આવશે.

:17

૧૭) પછી કહીં દેવામાં આવશે કે આ જ છે જેને તમે જુઠલાવતા રહ્યા.

:18

૧૮) નિ:શંક સદાચારીઓના કર્મપત્ર ઇલ્લિય્યીનમાં છે.

:19

૧૯) તને શું ખબર કે ઇલ્લિય્યીન શું છે ?

:20

૨૦) (તે તો) લેખિત પુસ્તક છે.

:21

૨૧) નિકટ (ફરિશ્તાઓ) તેની દેખરેખ કરી રહ્યા છે.

:22

૨૨) નિ:શંક સદાચારીઓ (ખુબ જ) ઇનામોની વચ્ચે હશે.

:23

૨૩) ઉચ્ચ આસનો પર બેસી નિહાળી રહ્યા હશે.

:24

૨૪) તમે તેમના મુખો પરથી જ ઇનામોની પ્રસન્નતા ને ઓળખી લેશો.

:25

૨૫) આ લોકોને સિલબંધ ઉત્તમ શરાબ પીવડાવવામાં આવશે.

:26

૨૬) જેના પર કસ્તુરીનું સિલ હશે. આગળ વધનારાઓ એ તેમાં જ આગળ વધવું જોઇએ.

:27

૨૭) અને તેની મિલાવટ તસ્નીમની હશે.

:28

૨૮) (એટલે કે) તે ઝરણું જેનું પાણી નજીકનાઓ પીશે.

:29

૨૯) અપરાધીઓ ઇમાન વાળોઓ ની મજાક ઉડાવતા હતા.

:30

૩૦) અને તેની પાસેથી પસાર થતા એક-બીજાને આંખોના ઇશારા કરતા હતા.

:31

૩૧) અને જ્યારે પોતાના લોકો તરફ પાછા ફરતા તો હસી મજાક કરતા હતા.

:32

૩૨) અને જ્યારે તેમને જોતા તો કહેતા નિ:શંક આ લોકો ભટકેલા (રસ્તો ભુલેલા) છે.

:33

૩૩) તેઓ તેમના પર નિરીક્ષક બનાવીને તો નથી મોકલવામાં આવ્યા.

:34

૩૪) બસ ! આજે ઇમાનવાળાઓ તે ઇન્કારીઓ ની હાંસી ઉડાવશે.

:35

૩૫) ઉચ્ચ આસન પર બેસી જોઇ રહ્યા હશે.

:36

૩૬) કે હવે તે ઇન્કારીઓ એ જેવું તેઓ કરતા હતા પૂરેપૂરો બદલો મેળવી લીધો.