ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

81 - The Overthrowing - At-Takwīr

:1

૧) જ્યારે સૂરજ લપેટી દેવામાં આવશે.

:2

૨) અને જ્યારે તારાઓ પ્રકાશહીન થઇ જશે.

:3

૩) અને જ્યારે પર્વતો ચલાવવામાં આવશે.

:4

૪) અને જ્યારે દસ મહિનાની ગર્ભવાળી ઉંટણીને છોડી દેવામાં આવશે.

:5

૫) અને જ્યારે જંગલી જાનવર ભેગા કરવામાં આવશે.

:6

૬) અને જ્યારે દરિયાઓ ભડકાવવામાં આવશે.

:7

૭) અને જ્યારે આત્માઓ (શરીરો સાથે) જોડી દેવામાં આવશે.

:8

૮) અને જ્યારે જીવતી દાટેલી બાળકીને સવાલ કરવામાં આવશે.

:9

૯) કે કયા અપરાધના કારણે મારી નાખવામાં આવી ?

:10

૧૦) અને જ્યારે કર્મનોંધ ખોલી નાખવામાં આવશે.

:11

૧૧) અને જ્યારે આકાશની ખાલ ખેંચી લેવામાં આવશે.

:12

૧૨) અને જ્યારે જહન્નમ ભડકાવવામાં આવશે.

:13

૧૩) અને જ્યારે જન્નત નજીક લાવવામાં આવશે.

:14

૧૪) પ્રત્યેક વ્યક્તિ જાણી લેશે જે તે લઇને આવ્યો છે.

:15

૧૫) હું સોગંધ ખાઉ છું પાછળ હટવાવાળા,

:16

૧૬) ચાલનાર અને સંતાઇ જનાર તારાઓ ની,

:17

૧૭) અને રાતની જ્યારે સમાપ્ત થવા લાગે છે.

:18

૧૮) અને સવારની જ્યારે ચમકવા લાગે.

:19

૧૯) નિ:શંક આ એક ઇઝઝતવાળા ફરિશ્તાઓ ની લાવેલી વાણી છે.

:20

૨૦) જે શક્તિશાળી છે. અર્શવાળા (અલ્લાહ) ને ત્યાં ઉચ્ચ સ્થાનવાળો છે.

:21

૨૧) જેની વાત માનવામાં આવે છે. પ્રામાણિક છે.

:22

૨૨) અને તમારા સાથી પાગલ નથી.

:23

૨૩) તેણે તેને (જિબ્રઇલ) આકાશોના ખુલ્લા કિનારે જોયા પણ છે.

:24

૨૪) અને તે છુપી વાતો બતાવવામાં કંજુસ પણ નથી.

:25

૨૫) અને આ કુરઆન ધિક્કારેલા શયતાનનું કથન નથી.

:26

૨૬) પછી તમે ક્યાં જઇ રહ્યા છો.

:27

૨૭) આ જગત વાસીઓ માટે એક સ્મૃતિબોધ છે.

:28

૨૮) (ખાસ કરીને) તેમના માટે જે સીધો માર્ગ અપનાવવા માગે છે.

:29

૨૯) અને તમે નથી ઇચ્છી શકતા જ્યાં સુધી સમ્રગ સૃષ્ટિનો પાલનહાર નથી ઇચ્છતો.