ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

77 - The Emissaries - Al-Mursalāt

:1

૧) દિલ ખૂશ કરી નાખનારી હવાઓના સોગંદ.

:2

૨) પછી તીવ્ર હવાઓના સોગંદ.

:3

૩) પછી ઉકસાવીને વેરવિખેર કરનારના સોગંદ.

:4

૪) પછી સત્ય અને અસત્ય ને જૂદા કરી નાખનાર.

:5

૫) અને વહી લાવનારા ફરિશ્તાઓના સોગંદ.

:6

૬) જે (વહી) પૂરાવા અને સચેત કરવા માટે છે.

:7

૭) જે વસ્તુનું વચન તમને આપવામાં આવે છે તે નિ:શંક થઇને રહેશે.

:8

૮) બસ ! જ્યારે તારાઓ પ્રકાશહીન કરી દેવામાં આવશે.

:9

૯) અને જ્યારે આકાશ તોડી ફોડી નાખવામાં આવશે.

:10

૧૦) અને જ્યારે પર્વતો ટુકડે ટુકડા કરી ઉડાવી દેવામાં આવશે.

:11

૧૧) અને જ્યારે પયગંબરોને નક્કી કરેલ સમયે હાજર કરવામાં આવશે.

:12

૧૨) કેવા દિવસ માટે (આ બધાને) લંબાવવામાં આવ્યા છે ?

:13

૧૩) નિર્ણયના દિવસ માટે

:14

૧૪) અને તને શું ખબર કે નિર્ણયનો દિવસ શું છે ?

:15

૧૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વિનાશ છે.

:16

૧૬) શું અમે પૂર્વજોને વિનાશ નથી કર્યા ?

:17

૧૭) ફરી અમે તેમના પછી બીજાને લાવ્યા.

:18

૧૮) અમે દુરાચારીઓ સાથે આવું જ કરીએ છીએ.

:19

૧૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:20

૨૦) શું અમે તમને તુચ્છ પાણી (વિર્ય) થી પૈદા નથી કર્યા.

:21

૨૧) પછી અમે તેમને મજબૂત અને સુરક્ષીત જગ્યાએ રાખ્યો.

:22

૨૨) એક નક્કી કરેલ સમય સુધી.

:23

૨૩) પછી અમે અંદાજો કર્યો. અને અમે ખુબ જ ઉત્તમ અંદાજો કરનારા છે.

:24

૨૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:25

૨૫) શું અમે ધરતીને એકઠી કરી નાખનારી નથી બનાવી ?

:26

૨૬) જીવિત લોકોને પણ અને મૃતકોને પણ.

:27

૨૭) અને અમે આમાં ઊંચા અને ભારે પર્વતો બનાવી દીધા અને તમને મીઠું પાણી પીવડાવ્યું.

:28

૨૮) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:29

૨૯) તે જહન્નમ તરફ જાઓ જેને તમે જુઠલાવતા રહ્યા.

:30

૩૦) ચાલો તે ત્રણ શાખાઓવાળા છાંયડા તરફ.

:31

૩૧) જે ખરેખર ન છાંયડો આપનારો છે અને ન જવાળાઓથી બચાવશે.

:32

૩૨) નિ:શંક જહન્નમ જવાળાઓ ફેંકે છે. જે મહેલો જેવી છે.

:33

૩૩) જાણે કે તે પીળા ઊંટો છે.

:34

૩૪) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:35

૩૫) આજ (નો દિવસ) તે દિવસ છે કે આ લોકો બોલી પણ નહીં શકે.

:36

૩૬) ન તેમને તક આપવામાં આવશે.

:37

૩૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:38

૩૮) આ છે નિર્ણયનો દિવસ અમે તમને અને આગળના દરેક લોકોને એકઠા કરી દીધા છે.

:39

૩૯) બસ ! જો તમે મારી વિરૂધ્ધ કોઇ યુક્તિ કરી શકતા હોય તો કરી લોં.

:40

૪૦) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:41

૪૧) નિ:શંક ડરવાવાળા છાંયડામાં છે. અને વહેતા ઝરણા પાસે.

:42

૪૨) અને તે ફળો પાસે જેની તેઓ ઇચ્છા કરશે.

:43

૪૩) (જન્નતીઓ) ખાવો પીવો મજાથી, પોતે કરેલા કાર્યોના બદલામાં.

:44

૪૪) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:45

૪૫) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:46

૪૬) (હે જુઠલાવનારાઓ તમે દૂનિયામાં) થોડુંક ખાઇ લો અને લાભ ઉઠાવી લો નિ:શંક તમે પાપી છો.

:47

૪૭) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:48

૪૮) તેમને જ્યારે કહેવામાં આવે છે કે રુકૂઅ કરી લો તો નથી કરતા.

:49

૪૯) તે દિવસ જુઠલાવનારાઓ માટે વૈલ (અફસોસ) છે.

:50

૫૦) હવે આ કુરઆન પછી કેવી વાત પર ઇમાન લાવશો ?