ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

75 - The Resurrection - Al-Qiyāmah

:1

૧) હું સોગંદ ખાઉં છું કયામતના દિવસના.

:2

૨) અને સોગંદ ખાઉં છું ઠપકો આપનાર અંતરાત્માના.

:3

૩) શું માનવી એમ સમજે છે કે અમે તેના હાડકા ભેગા કરીશુ જ નહીં.

:4

૪) કેમ નહીં અમે જરૂરથી કરીશું, અમે તો સમર્થ છીએ કે તેના ટેરવા સુધ્ધા ઠીક કરી દઇએ.

:5

૫) પરંતુ માનવી ઇચ્છે છે કે આગળ આગળ અવજ્ઞા કરતો રહે.

:6

૬) સવાલ કરે છે કે કયામતનો દિવસ કયારે આવશે.

:7

૭) બસ ! જે સમયે નજર પથરાઇ જશે.

:8

૮) અને ચંદ્ર પ્રકાશહીન થઇ જશે.

:9

૯) સૂરજ અને ચંદ્ર ભેગા કરી દેવામાં આવશે.

:10

૧૦) તે દિવસે માનવી કહેશે કે આજે ભાગવા માટે જ્ગ્યા કયાં છે ?

:11

૧૧) ના ના કોઇ શરણ નથી.

:12

૧૨) આજે તો તારા પાલનહાર તરફ જ શરણ છે.

:13

૧૩) આજે માનવીને તેણે આગળ મોકલેલા અને પાછળ છોડેલાથી સચેત કરવામાં આવશે.

:14

૧૪) પરંતુ માનવી સ્વયં પોતે પૂરાવો છે.

:15

૧૫) કેટલાય બહાના રજૂ કેમ ન કરે.

:16

૧૬) (હે પયગંબર) તમે કુરઆન મજીદ ને જલ્દી (યાદ કરવા) માટે પોતાની જબાનને હલાવો નહીં.

:17

૧૭) તેનું ભેગું કરવું અને (તમારી જબાનથી) પઢાવવું અમારા શિરે છે.

:18

૧૮) અમે જ્યારે તેને પઢી લઇએ તો તમે તેના જેવું જ પઢો.

:19

૧૯) પછી આનો (અર્થ) સ્પષ્ટ કરી દેવો પણ અમારા શિરે છે.

:20

૨૦) ના ના તમે ઝડપથી મળવાવાળી (દુનિયા) થી પ્રેમ કરો છો.

:21

૨૧) અને આખિરત (પરલોક) ને છોડી બેઠા છો.

:22

૨૨) તે દિવસે ઘણા ચહેરા તાજગીભર્યા હશે.

:23

૨૩) પોતાના પાલનહાર તરફ જોઇ રહ્યા હશે.

:24

૨૪) અને કેટલાક ચહેરા તે દિવસે ઉદાસ હશે.

:25

૨૫) સમજતા હશે કે તેમની સાથે કમર તોડી નાખનારો વ્યવહાર કરવામાં આવશે.

:26

૨૬) ના ના જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

:27

૨૭) અને કહેવામાં આવશે કે કોઇ મંત્ર-તંત્ર કરનાર છે ?

:28

૨૮) અને તેણે જાણી લીધું કે આ છૂટા પડવાનો સમય છે.

:29

૨૯) અને પિંડી સાથે પિંડી વળગી જશે.

:30

૩૦) આજે તારા પાલનહાર તરફ ફરવાનું છે.

:31

૩૧) તેણે ન તો સાચું ઠેરવ્યુ, ન તો નમાઝ પઢી.

:32

૩૨) પરંતુ જુઠલાવ્યુ અને આનાકાની કરી.

:33

૩૩) પછી પોતાના ઘરવાળાઓ પાસે ઇતરાઇને ગયો.

:34

૩૪) ખેદ છે તારા પર, અફસોસ છે તારા પર.

:35

૩૫) પછી ખેદ છે તારા પર અને અફસોસ છે તારા માટે.

:36

૩૬) શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે.

:37

૩૭) શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું.

:38

૩૮) પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો.

:39

૩૯) પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા.

:40

૪૦) શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે.