ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

56 - The Inevitable - Al-Wāqi`ah

:1

૧) જ્યારે કયામત આવી પહોંચશે.

:2

૨) જેને થવામાં કંઇ જૂઠ નથી.

:3

૩) તે (કયામત) નીચા કરવાવાળી અને ઊંચા કરવાવાળી હશે.

:4

૪) જ્યારે કે ધરતી ધરતીકંપ સાથે હલાવી દેવામાં આવશે.

:5

૫) અને પર્વતો અત્યંત ચૂરે ચૂરા કરી દેવામાં આવશે

:6

૬) પછી તે વિખેરાયેલી માટી જેવા થઇ જશે.

:7

૭) અને તમે ત્રણ જૂથોમાં થઇ જશો.

:8

૮) બસ ! જમણા હાથવાળા કેવા સારા હશે. જમણા હાથવાળા.

:9

૯) અને ડાબા હાથવાળાની શું દશા છે, ડાબા હાથવાળાની.

:10

૧૦) અને જે આગળવાળા છે તે તો આગળવાળા જ છે.

:11

૧૧) તે ખુબ જ નજીક રહેવાવાળા હશે.

:12

૧૨) નેઅમતોવાળી જન્નતોમાં છે.

:13

૧૩) (ખુબ જ મોટું) જૂથ તો આગળ રહેવાવાળાઓ નું હશે.

:14

૧૪) અને થોડાક પાછલા લોકો માંથી.

:15

૧૫) આ લોકો સોનાના તારથી બનેલા આસનો પર,

:16

૧૬) એક-બીજા સામે તકિયા લગાવી બેઠા હશે.

:17

૧૭) તેઓ પાસે એવા બાળકો હશે જેઓ હંમેશા (બાળકો જ) રહેશે. આવ-જા કરતા હશે.

:18

૧૮) પ્યાલા, જગ અને એવું જામ લઇને જે વહેતી ?????

:19

૧૯) જેનાથી ન તો માથામાં દુખાવો થશે, ન તો બુધ્ધિ નિષ્ક્રિય થશે.

:20

૨૦) અને એવા ફળો લઇને જે તેઓને મનગમતા હશે,

:21

૨૧) અને પંખીઓના ગોશ્ત જે તેઓને પસંદ હશે,

:22

૨૨) અને મોટી મોટી આંખોવાળી અપ્સરાઓ,

:23

૨૩) જે છૂપાયેલા મોતીઓ જેવી હશે.

:24

૨૪) આ બદલો છે તેમના કર્મોનો.

:25

૨૫) ન ત્યાં ફાલતું વાત સાંભળશે અને ન તો પાપની વાત.

:26

૨૬) ફકત સલામ જ સલામની અવાજ હશે.

:27

૨૭) અને જમણા હાથવાળા કેટલા ઉત્તમ છે. જમણા હાથવાળાઓ.

:28

૨૮) તેઓ કાંટા વગર????

:29

૨૯) અને એક પછી એક ખૂંટા,

:30

૩૦) અને લાંબા લાંબા પડછાયા,

:31

૩૧) અને વહેતા પાણી,

:32

૩૨) અને ઘણા જ ફળોમાં

:33

૩૩) જે ન તો ખત્મ થશે, ન તો રોકી લેવામાં આવશે.

:34

૩૪) અને ઊંચા ઊંચા પાથરણા પર હશે.

:35

૩૫) અમે તેઓ (ની પત્નીઓને) ખાસ તરીકાથી બનાવી છે.

:36

૩૬) અને અમે તેણીઓને કુમારીકાઓ બનાવી દીધી છે.

:37

૩૭) મોહબ્બત કરનારી અને સરખી વયો વાળી.

:38

૩૮) જમણા હાથવાળાઓ માટે છે.

:39

૩૯) ઘણા લોકો આગળ રહેવાવાળા લોકો માંથી હશે.

:40

૪૦) અને ઘણું જ મોટું જૂથ પાછળ રહેવાવાળાઓનું છે.

:41

૪૧) અને ડાબા હાથવાળા, કેવા છે ડાબા હાથવાળા.

:42

૪૨) ગરમ હવા અને ગરમ પાણી માં (હશે).

:43

૪૩) અને કાળા ધુમાડાના પડછાયામાં.

:44

૪૪) જે ન તો ઠંડો હશે અને ન તો ખુશ કરનારો.

:45

૪૫) નિ:શંક આ લોકો આ પહેલા ઘણા જ ઠાઠમાં હતા.

:46

૪૬) અને મોટા મોટા ગુનાહ પર અડગ રહેતા.

:47

૪૭) અને કહેતા હતા શું અમે મૃત્યુ પામીશું, માટી અને હાડકા થઇ જઇશું તો શું અમે પાછા બીજીવાર જીવિત કરવામાં આવીશું.

:48

૪૮) અને શું અમારા આગળના બાપ-દાદાઓ પણ ?

:49

૪૯) તમે કહી દો કે નિ:શંક આગળ અને પાછળના સૌને,

:50

૫૦) જરૂરથી ભેગા કરી દેવામાં આવશે, એક નક્કી કરેલ દિવસે.

:51

૫૧) પછી તમે હે પથભ્રષ્ટો ! હે જૂઠલાવનારાઓ !

:52

૫૨) તમે જરૂરથી ??????

:53

૫૩) અને તેનાથી જ તમે પેટ ભરશો.

:54

૫૪) પછી તેના પર ગરમ ઉકળતું પાણી પીશો.

:55

૫૫) પીવાવાળા પણ તરસ્યા ઊંટો જેવા,

:56

૫૬) કયામતના દિવસે તેઓની આ મહેમાની હશે.

:57

૫૭) અમે જ તમારા સૌનું સર્જન કર્યું છે. પછી તમે કેમ માનતા નથી.

:58

૫૮) હા , એવું તો જણાવો કે જે વિર્ય તમે ટપકાવો છો,

:59

૫૯) શું તેને (માનવી) તમે બનાવો છો ? અથવા તો પેદા કરનાર અમે જ છે ?

:60

૬૦) અમે જ તમારા પર મૃત્યુને નક્કી કરી દીધુ છે. અને અમે તેનાથી હારેલા નથી.

:61

૬૧) કે તમારી જગ્યા પર તમારા જેવા કેટલાયને પેદા કરી દઇએ અને તમને ફરીથી આ જગતમાં પણ પેદા કરી દઇએ જેની તમને કંઇ પણ ખબર નથી.

:62

૬૨) તમને નિશ્ર્ચિતપણે પહેલા સર્જન વિશે ખબર જ છે, પછી કેમ બોધ ગ્રહણ નથી કરતા ?

:63

૬૩) હા તો એ પણ જણાવો કે તમે જે કંઇ પણ વાવો છો,

:64

૬૪) તેની વાવણી તમે જ કરો છો અથવા તો અમે જ વાવેતર છે.

:65

૬૫) જો અમે ઇચ્છીએ તો તેને ચુરે ચુરા કરી દઇએ અને તમે આશ્ર્ચર્યથી વાતો ઘડવામાં જ રહી જાઓ.

:66

૬૬) કે અમારા પર ભાર થઇ ગયો છે.

:67

૬૭) પરંતુ અમે ખુબ જ અજાણ રહી ગયા.

:68

૬૮) હા એ તો જણાવો કે જે પાણી તમે પીવો છો,

:69

૬૯) તેને વાદળો માંથી તમે જ ઉતારો છો અથવા તો અમે ઉતારીએ છીએ ?

:70

૭૦) જો અમારી ઇચ્છા હોય તો અમે તેને કડવું ઝેર બનાવી દઇએ. પછી તમે અમારો આભાર કેમ નથી માનતા ?

:71

૭૧) હાં એ પણ જણાવો કે જે આગ તમે સળગાવો છો,

:72

૭૨) તેના વુક્ષને તમે પેદા કર્યુ છે અથવા અમે તેને પેદા કરવાવાળા છે ?

:73

૭૩) અમે તેને શિખામણ માટે અને મુસાફરોના ફાયદા માટે બનાવ્યું છે.

:74

૭૪) બસ ! પોતાના ઘણા જ મહાનતાવાળા પાલનહારના નામનું સ્મરણ કરતા રહો.

:75

૭૫) બસ ! હું સોગંદ ખાઉં છું તારાઓના પડવાના.

:76

૭૬) અને જો તમને જ્ઞાન હોય તો આ ઘણી જ મોટી સોગંદ છે.

:77

૭૭) નિ:શંક આ કુરઆન ખુબ જ ઇજજતવાળું છે.

:78

૭૮) જે એક સુરક્ષિત પુસ્તકમાં છે.

:79

૭૯) તેને ફકત પવિત્ર લોકો જ અડી શકે છે.

:80

૮૦) આ જગતના પાલનહાર તરફથી અવતરિત કરેલું છે.

:81

૮૧) શું તમે આ વાતને સામાન્ય જાણો છો ?

:82

૮૨) અને પોતાના ભાગમાં ફકત જુઠલાવવાનું જ નક્કી કર્યું છે.

:83

૮૩) બસ ! જ્યારે જીવ ગળા સુધી પહોંચી જશે.

:84

૮૪) અને તમે તે સમયે આંખો વડે જોતા રહી જશો.

:85

૮૫) અમે તે વ્યક્તિ સાથે તમારા કરતા વધારે નજીક હોઇએ છીએ, પરંતુ તમે નથી જોઇ શકતા.

:86

૮૬) બસ ! જો તમે કોઇના કહેવામાં નથી,

:87

૮૭) અને જો આ વાતના સાચા હોય તો આ જીવને પાછે લાવી બતાઓ.

:88

૮૮) બસ ! જે કોઇ અલ્લાહના દરબારમાં નજીક કરેલો હશે.

:89

૮૯) તેને તો આરામ છે, ખોરાક છે અને આરામદાયક જન્નત છે.

:90

૯૦) અને જે વ્યક્તિ જમણા (હાથ) વાળાઓ માંથી છે.

:91

૯૧) તો પણ સલામતી છે તારા માટે કે તું જમણા હાથવાળાઓ માંથી છે.

:92

૯૨) પરંતુ જો કોઇ જુઠલાવનારા પથભ્રષ્ટો માંથી છે.

:93

૯૩) તેના માટે ઉકળતા ગરમ પાણીની મહેમાની છે.

:94

૯૪) અને જહન્નમમાં જવાનું છે.

:95

૯૫) આ ખબર ખરેખર સાચી અને સત્ય છે.

:96

૯૬) બસ ! તું પોતાના મહાન પાલનહારના નામનું સ્મરણ કર.