ઓલ ઇસ્લામ લાઇબ્રેરી

37 - Those who set the Ranks - Aş-Şāffāt

:1

૧) સોગંદ છે લાઈનબંધ ઊભા રહેનારા (ફરિશ્તાઓ)ના.

:2

૨) પછી સંપૂર્ણ રીતે ધમકી આપનારાઓના.

:3

૩) પછી અલ્લાહના સ્મરણમાં વ્યસ્ત રહેનારાઓના.

:4

૪) નિ:શંક તમારા સૌનો પૂજ્ય એક જ છે.

:5

૫) આકાશો અને ધરતી અને તે બન્ને વચ્ચેની દરેક વસ્તુઓ અને પશ્વિમનો પાલનહાર તે જ છે.

:6

૬) અમે દુનિયાના આકાશને તારાઓથી શણગાર્યું.

:7

૭) અને વિદ્રોહી શેતાનોથી સુરક્ષા કરી.

:8

૮) "મલઉલ્ અ-અલા" (ફરિશ્તાઓનું એક જૂથ)ના ફરિશ્તાઓને સાંભળવા માટે તેઓ (શેતાનો) કાન પણ નથી લગાવી શકતા, પરંતુ દરેક બાજુથી તેઓને મારવામાં આવે છે.

:9

૯) ભગાડવા માટે. અને તેમના માટે હંમેશા રહેવાવાળી યાતના છે.

:10

૧૦) પરંતુ જે કોઇ એકાદ વાત સાંભળી લે તો (તરત જ) તેની પાછળ સળગેલો અંગારો લાગી જાય છે.

:11

૧૧) તે ઇન્કાર કરનારાઓને સવાલ કરો કે તમારું સર્જન કરવું વધારે અઘરું છે અથવા જેમનું અમે (તેમના ઉપરાંત) સર્જન કર્યું ? અમે (માનવીઓ)નું સર્જન ચીકણી માટી વડે કર્યું.

:12

૧૨) પરંતુ તમે આશ્વર્ય પામો છો અને આ લોકો મશ્કરી કરી રહ્યા છે.

:13

૧૩) અને જ્યારે તેમને શિખામણ આપવામાં આવે છે, તો આ લોકો નથી માનતા.

:14

૧૪) અને જ્યારે કોઇ ચમત્કારને જુએ છે તો મશ્કરી કરે છે.

:15

૧૫) અને કહે છે કે આ તો ખુલ્લુ જાદુ છે.

:16

૧૬) શું જ્યારે આપણે મૃત્યુ પામીશું અને માટી તથા હાડકાં થઇ જઇશું, તો શું ફરીવાર આપણને ઉઠાવવામાં આવશે ?

:17

૧૭) શું આપણા પહેલાના પૂર્વજોને પણ ?

:18

૧૮) તમે જવાબ આપી દો કે હા-હા અને તમે અપમાનિત (પણ) થશો.

:19

૧૯) તે તો ફક્ત એક સખત ઝટકો છે, અચાનક તેઓ જોવા લાગશે.

:20

૨૦) અને કહેશે કે હાય અમારું દુર્ભાગ્ય ! આ જ બદલાનો દિવસ છે.

:21

૨૧)આ જ નિર્ણયનો દિવસ છે જેને તમે જુઠલાવતા હતા.

:22

૨૨) અત્યાચારીઓને અને તેમના સાથીઓને અને જેમની તેઓ અલ્લાહને છોડીને બંદગી કરતા હતા,

:23

૨૩) (તે સૌને) ભેગા કરી તેમને જહન્નમનો માર્ગ બતાવી દો.

:24

૨૪) અને તેમને થોભાવો, તેમને સવાલ પુછવામાં આવશે.

:25

૨૫) તમને શું થઇ ગયું છે કે તમે એકબીજાની મદદ નથી કરતા.

:26

૨૬) પરંતુ તે (સૌ) આજના દિવસે આજ્ઞાકારી બની ગયા.

:27

૨૭) તે એકબીજા તરફ જોઇ સવાલ-જવાબ કરવા લાગશે.

:28

૨૮) કહેશે કે તમે તો અમારી પાસે અમારી જમણી બાજુથી આવતા હતા.

:29

૨૯) તેઓ જવાબ આપશે કે ના, પરંતુ તમે જ ઈમાનવાળા ન હતા.

:30

૩૦) અને અમારી બળજબરી તમારા પર હતી (જ) નહીં, પરંતુ તમે (પોતે) વિદ્રોહી હતા.

:31

૩૧) હવે અમે (બધા) પર અમારા પાલનહારની એ વાત સાબિત થઇ ગઇ કે અમે (યાતના)નો સ્વાદ ચાખીશું.

:32

૩૨) બસ ! અમે તમને પથભ્રષ્ટ કર્યા, અમે પોતે જ પથભ્રષ્ટ હતા.

:33

૩૩) આજના દિવસે તો (બધા જ) યાતનામાં ભાગીદાર છે.

:34

૩૪) અમે અપરાધીઓ સાથે આવું જ કરીએ છીએ.

:35

૩૫) આ તેઓ છે કે, જ્યારે તેમને કહેવામાં આવે કે અલ્લાહ સિવાય કોઇ પૂજ્ય નથી, તો આ લોકો વિદ્રોહ કરતા હતા.

:36

૩૬) અને કહેતા હતા કે શું અમે અમારા પૂજ્યોને એક પાગલ કવિની વાત માની લઇને છોડી દઇએ ?

:37

૩૭) (ના ના) પરંતુ (પયગંબર) તો સત્ય લાવ્યા અને દરેક પયગંબરોને સાચા માને છે.

:38

૩૮) નિ:શંક તમે દુ:ખદાયી યાતનાનો સ્વાદ ચાખશો.

:39

૩૯) તમને તેનો જ બદલો આપવામાં આવશે, જે તમે કરતા હતા.

:40

૪૦) પરંતુ અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ (સુરક્ષિત હશે).

:41

૪૧) તેમના માટે જ નક્કી કરેલ રોજી છે.

:42

૪૨) (દરેક પ્રકારના) ફળો અને તે ઇજજતવાળા, પ્રતિષ્ઠિત હશે.

:43

૪૩) નેઅમતો વાળી જન્નતોમાં,

:44

૪૪) આસનો પર એકબીજાની સામે હશે.

:45

૪૫) શરાબના ઝરણાંઓ માંથી પ્યાલા ભરી-ભરીને તેમની વચ્ચે ફેરવવામાં આવશે.

:46

૪૬) જે પારદર્શક હશે અને પીવામાં સ્વાદિષ્ટ હશે.

:47

૪૭) ન તેનાથી માથાનો દુખાવો થશે અને ન તો તેઓ વિકૃત થશે.

:48

૪૮) અને તેમની પાસે નીચી નજરોવાળી, સુંદર આંખોવાળી (હૂરો) હશે.

:49

૪૯) એવી, જેવા કે, છૂપાયેલા ઇંડા,

:50

૫૦) (જન્નતી લોકો) એકબીજા સામે જોઇ સવાલ કરશે,

:51

૫૧) તેમના માંથી એક કહેશે કે મારો એક મિત્ર હતો,

:52

૫૨) જે કહેતો હતો કે શું તું (કયામતના દિવસ પર) યકીન કરવાવાળાઓ માંથી છે?

:53

૫૩) શું જ્યારે આપણે મૃત્યુ પામી, માટી અને હાડકાં બની જઇશું, તે દિવસે આપણને બદલો આપવામાં આવશે ?

:54

૫૪) કહેશે કે તમે શું જોવા ઇચ્છો છો ?

:55

૫૫) જોતાં ની સાથે જ તેને જહન્નમની વચ્ચે જોશે.

:56

૫૬) કહેશે, અલ્લાહ ! શક્ય હતું કે તું મને (પણ) બરબાદ કરી દેતો.

:57

૫૭) જો મારા પાલનહારનો ઉપકાર ન હોત, તો હું પણ જહન્નમમાં હાજર કરવાવાળાઓ માંથી હોત.

:58

૫૮) શું (આ સાચું છે) કે અમે મૃત્યુ પામવાના જ નથી ?

:59

૫૯) પ્રથમ મૃત્યુ સિવાય અને ન આપણને યાતના આપવામાં આવશે.

:60

૬૦) પછી તો આ ભવ્ય સફળતા છે.

:61

૬૧)આવી (સફળતા) માટે કર્મો કરનારાઓએ કર્મ કરવા જોઇએ.

:62

૬૨)શું આ મહેમાન નવાજી સારી છે અથવા ઝક્કુમ (થોર)નું વૃક્ષ ?

:63

૬૩) જેને અમે અત્યાચારીઓ માટે સખત કસોટી માટે બનાવ્યું છે.

:64

૬૪) નિ:શંક તે વૃક્ષ જહન્નમની જડ માંથી નીકળે છે.

:65

૬૫) જેના ગુચ્છા શેતાનોના માથા જેવા છે.

:66

૬૬) (જહન્નમના લોકો) આ જ વૃક્ષ માંથી ભોજન કરશે અને તેનાથી જ પેટ ભરશે.

:67

૬૭) પછી તેના ઉપર પીવા માટે, ઊકળતું પાણી લાવવામાં આવશે.

:68

૬૮) પછી તે સૌનું પાછું ફરવાનું, જહન્નમ તરફ હશે.

:69

૬૯) નિ:શંક તેમણે પોતાના પૂર્વજોને પથભ્રષ્ટ જોયા.

:70

૭૦) અને આ લોકો તેમના જ માર્ગ ઉપર દોડતા રહ્યા.

:71

૭૧) તેમના પહેલાના ઘણા લોકો પણ પથભ્રષ્ટ થઇ ગયા હતા.

:72

૭૨) જેમની પાસે અમે સચેત કરનારા મોકલ્યા હતા.

:73

૭૩) હવે તમે જોઇ લો કે જે લોકોને ધમકી આપવામાં આવી હતી, તેમની દશા કેવી થઇ.

:74

૭૪) અલ્લાહના નિકટના બંદાઓ સિવાય,

:75

૭૫) અને અમને નૂહ અ.સ.એ પોકાર્યા, તો (જોઇ લો) અમે કેટલા શ્રેષ્ઠ દુઆ કબૂલ કરનારા છે.

:76

૭૬) અમે તેમને અને તેમના ઘરવાળાઓને તે ભયાનક મુસીબતથી બચાવી દીધા.

:77

૭૭) અને તેમના સંતાનને અમે બાકી રહેનારા બનાવી દીધા.

:78

૭૮) અને અમે તેમનું (સારું નામ) પાછળના લોકોમાં જાળવી રાખ્યું.

:79

૭૯) નૂહ અ.સ. પર સમગ્ર સૃષ્ટિના સલામ છે.

:80

૮૦) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:81

૮૧) તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

:82

૮૨) પછી અમે બીજાને ડુબાડી દીધા.

:83

૮૩) અને તે (નૂહ અ.સ.નું) અનુસરણ કરનારાઓ માંથી (જ) ઇબ્રાહીમ અ.સ. પણ હતા.

:84

૮૪) જ્યારે પોતાના પાલનહાર પાસે પવિત્ર હૃદય લાવ્યા.

:85

૮૫) તેમણે પોતાના પિતા અને કોમના લોકોને કહ્યું, તમે કઇ વસ્તુની પૂજા કરી રહ્યા છો ?

:86

૮૬) શું તમે અલ્લાહ સિવાય ઘડી કાઢેલા પૂજ્યો ઇચ્છો છો ?

:87

૮૭) તો એવું (જણાવો કે) તમે સમગ્રસૃષ્ટિના પાલનહારને શું સમજો છો ?

:88

૮૮) હવે ઇબ્રાહીમ અ.સ.એ એક નજર તારાઓ તરફ કરી.

:89

૮૯)અને કહ્યું કે હું બિમાર છું.

:90

૯૦) આમ તે લોકો તેનાથી મોઢું ફેરવી જતા રહ્યા.

:91

૯૧) (ઇબ્રાહીમ અ.સ.) તેમના પૂજ્યો પાસે ગયા અને કહેવા લાગ્યા કે તમે ભોજન કેમ નથી લેતા ?

:92

૯૨) તમને શું થઇ ગયું છે કે વાત પણ નથી કરતા.

:93

૯૩) પછી (સંપૂર્ણ તાકાત સાથે) જમણા હાથ વડે તેમને મારવા લાગ્યા.

:94

૯૪) તે (મૂર્તિ પૂજકો) દોડતા દોડતા તેમની પાસે આવ્યા.

:95

૯૫) (ઇબ્રાહીમ અ.સ.)એ કહ્યું, તમે તેમની પૂજા કરી રહ્યા છો, જેમને તમે કોતરો છો.

:96

૯૬) જો કે તમારું અને તમારી બનાવેલી વસ્તુઓનું સર્જન અલ્લાહએ જ કર્યું.

:97

૯૭) તેઓ કહેવા લાગ્યા, તેના માટે એક ઘર બનાવો અને તે (ભળકે બળતી) આગમાં તેને નાંખી દો.

:98

૯૮) તેમણે તો તેમની (ઇબ્રાહીમ) સાથે યુક્તિ કરવાનું ઇચ્છયું, પરંતુ અમે તેમને જ હીન કરી દીધા.

:99

૯૯) અને તેમણે કહ્યું, હું તો હિજરત કરી પોતાના પાલનહાર તરફ જવાનો છું, તે જરૂર મને માર્ગ બતાવશે.

:100

૧૦૦) હે મારા પાલનહાર ! મને સદાચારી સંતાન આપ,

:101

૧૦૧) તો અમે તેમને એક ધૈર્યવાન સંતાનની ખુશખબરી આપી.

:102

૧૦૨) પછી જ્યારે તે (બાળક) એટલી વયે પહોંચ્યો કે તેમની સાથે હરે-ફરે, તો તેમણે કહ્યું, મારા વ્હાલા દીકરા ! હું સપનામાં તને ઝબેહ કરતા જોઇ રહ્યો છું, હવે તું જણાવ કે તારો વિચાર શું છે ? દીકરાએ જવાબ આપ્યો કે, પિતાજી ! જે આદેશ આપવામાં આવ્યો છે તેને કરી લો, "ઇન્ શાઅ અલ્લાહ" તમે મને ધીરજ રાખનાર પામશો.

:103

૧૦૩)જ્યારે બન્ને માની ગયા અને તેમણે (પિતાએ) તેને (દીકરાને) ઊંધા માથે પાડી દીધો,

:104

૧૦૪) તો અમે અવાજ આપ્યો કે હે ઇબ્રાહીમ !

:105

૧૦૫) ખરેખર તમે પોતાના સપનાને સાચું કરી બતાવ્યું. નિ:શંક અમે સત્કાર્યો કરનારને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:106

૧૦૬) ખરેખર આ ખુલ્લી કસોટી હતી.

:107

૧૦૭) અને અમે એક મોટી કુરબાની તેના ફિદયહમાં (બદલામાં) આપી દીધી,

:108

૧૦૮) અને અમે તેમનું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

:109

૧૦૯) ઇબ્રાહીમ અ.સ. પર સલામ છે.

:110

૧૧૦) અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:111

૧૧૧) નિ:શંક તે અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

:112

૧૧૨) અને અમે તેમને ઇસ્હાક અ.સ,પયગંબરની ખુશખબરી આપી, જે સદાચારી લોકો માંથી હશે.

:113

૧૧૩) અને અમે ઇબ્રાહીમ અને ઇસ્હાક પર ખૂબ કૃપા કરી અને તે બન્નેના સંતાન માંથી કેટલાક સદાચારી છે અને કેટલાક પોતાના પર ખુલ્લો અત્યાચાર કરવાવાળા છે.

:114

૧૧૪) નિ:શંક અમે મૂસા અને હારૂન અ.સ. પર ઘણો જ ઉપકાર કર્યો.

:115

૧૧૫) અને તેમને તથા તેમની કોમને ખૂબ જ દુ:ખદાયી યાતનાથી છુટકારો આપ્યો.

:116

૧૧૬) અને તેમની મદદ કરી, જેથી તેઓ જ વિજયી રહ્યા.

:117

૧૧૭) અને અમે તેમને પ્રકાશિત કિતાબ આપી.

:118

૧૧૮) અને તેમને સત્ય માર્ગ પર રાખ્યા.

:119

૧૧૯) અને અમે તે બન્ને માટે પાછળ આવનારામાં આ વાત બાકી રાખી.

:120

૧૨૦) કે મૂસા અને હારૂન અ.સ. પર સલામ,

:121

૧૨૧) નિ:શંક અમે સદાચારી લોકોને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:122

૧૨૨) નિ:શંક તે બન્ને અમારા ઈમાનવાળા બંદાઓ માંથી હતા.

:123

૧૨૩) નિ:શંક ઇલ્યાસ અ.સ. પણ પયગંબરો માંથી હતા.

:124

૧૨૪) જ્યારે તેમણે પોતાની કોમને કહ્યું, તમે અલ્લાહથી ડરતા નથી ?

:125

૧૨૫) શું તમે બ-અ-લ (એક મૂર્તિનું નામ)ને પોકારો છો ? અને સૌથી શ્રેષ્ઠ સર્જનહારને છોડી દો છો.

:126

૧૨૬) અલ્લાહ, જે તમારો અને તમારાથી પહેલાના લોકોનો પાલનહાર છે.

:127

૧૨૭)પરંતુ કોમના લોકોએ તેમને જુઠલાવ્યા. બસ ! તેઓને જરૂર (યાતનામાં) હાજર કરવામાં આવશે.

:128

૧૨૮) અલ્લાહ તઆલાના નિખાલસ બંદાઓ સિવાય.

:129

૧૨૯) અમે (ઇલ્યાસ અ.સ.) નું સારું નામ પાછળના લોકોમાં બાકી રાખ્યું.

:130

૧૩૦) ઇલ્યાસ પર સલામ,

:131

૧૩૧) અમે સત્કાર્ય કરવાવાળાઓને આવી જ રીતે બદલો આપીએ છીએ.

:132

૧૩૨) નિ:શંક તે અમારા સદાચારી બંદાઓ માંથી હતા.

:133

૧૩૩) નિ:શંક લૂત અ.સ. પણ પયગંબરો માંથી હતા,

:134

૧૩૪) અમે તેમને અને તેમના ઘરવાળાઓ, દરેકને છુટકારો આપ્યો,

:135

૧૩૫) તે વૃદ્વ સ્ત્રી સિવાય, જે પાછળ રહેનારા લોકોમાં બાકી રહી ગઇ.

:136

૧૩૬) પછી અમે બીજાને નષ્ટ કરી દીધા.

:137

૧૩૭) અને તમે સવારના સમયે તેમની વસ્તીઓ પાસેથી પસાર થાવ છો.

:138

૧૩૮) અને રાતના સમયે પણ, શું તો પણ નથી સમજતા ?

:139

૧૩૯) અને નિ:શંક યૂનુસ અ.સ. પયગંબરો માંથી હતા.

:140

૧૪૦) જ્યારે ભાગીને ભરેલી હોડી તરફ પહોંચ્યા.

:141

૧૪૧) પછી ચિઠ્ઠી નાંખવામાં આવી, તો તેઓ હારી ગયા.

:142

૧૪૨)તો પછી તેમને માછલી ગળી ગઇ અને તેઓ પોતાને જ દોષિત ઠેરવવા લાગ્યા.

:143

૧૪૩) બસ ! જો તેઓ પવિત્રતાનું વર્ણન ન કરતા,

:144

૧૪૪)તો લોકોને ઉઠાડવાના (કયામતના) દિવસ સુધી માછલીના પેટમાં રહેતા.

:145

૧૪૫)બસ ! તેમને અમે સપાટ મેદાનમાં નાંખી દીધા અને તેઓ તે સમયે બિમાર હતા.

:146

૧૪૬)અને તેમના પર છાંયડો કરવા માટે એક વેલવાળું વૃક્ષ અમે ઉગાડી દીધું.

:147

૧૪૭)અને અમે તેમને એક લાખ કરતાં પણ વધારે લોકો તરફ મોકલ્યા.

:148

૧૪૮) બસ ! તેઓ ઈમાન લાવ્યા અને અમે તેમને એક સમયગાળા સુધી વૈભવી જીવન આપ્યું.

:149

૧૪૯) તેમને પૂછો કે શું તમારા પાલનહારને દીકરીઓ છે અને તેમના દીકરા છે?

:150

૧૫૦) અથવા આ લોકો તે સમયે હાજર હતા, જ્યારે અમે ફરિશ્તાઓનું સર્જન સ્ત્રીજાતિમાં કર્યું ?

:151

૧૫૧) જાણી લો, કે આ લોકો પોતે ઘડી કાઢેલી વાતો કહી રહ્યા છે.

:152

૧૫૨) કે અલ્લાહને સંતાન છે, ખરેખર આ લોકો જુઠ્ઠા છે.

:153

૧૫૩)શું અલ્લાહ તઆલાએ પોતાના માટે દીકરીઓને દીકરાઓ પર પ્રાથમિકતા આપી ?

:154

૧૫૪) તમને શું થઇ ગયું છે ? કેવી વાતો કહેતા ફરો છો ?

:155

૧૫૫) શું તમે સમજતા પણ નથી ?

:156

૧૫૬) અથવા તમારી પાસે આ વાતનો કોઇ સ્પષ્ટ પુરાવો છે ?

:157

૧૫૭) તો જાવ, સાચા હોવ તો પોતાની જ કિતાબ લઇ આવો.

:158

૧૫૮) અને તે લોકોએ અલ્લાહ અને જિન્નાત વચ્ચે સંબંધ ઠેરાવ્યો, જો કે જિન્નાતો પોતે જાણે છે કે તેઓ (આવી આસ્થા રાખનારા લોકો)યાતના સામે રજૂ કરવામાં આવશે.

:159

૧૫૯) જે કંઈ આ લોકો વર્ણન કરી રહ્યા છે તેનાથી અલ્લાહ તઆલા પવિત્ર છે.

:160

૧૬૦) અલ્લાહના નિખાલસ બંદાઓ સિવાય.

:161

૧૬૧) ખરેખર તમે સૌ અને તમારા પૂજ્યો,

:162

૧૬૨) કોઇ એકને પણ પથભ્રષ્ટ કરી નથી શકતા.

:163

૧૬૩) જે જહન્નમમાં રહેવાવાળો છે તેના સિવાય.

:164

૧૬૪) (ફરિશ્તાઓની વાત એવી છે કે) અમારા માંથી દરેકની જગ્યા નક્કી છે.

:165

૧૬૫) અને અમે (અલ્લાહની બંદગી માટે) લાઇનબંધ ઊભા છે.

:166

૧૬૬) અને તેના નામનું સ્મરણ કરી રહ્યા છે.

:167

૧૬૭) ઇન્કાર કરનાર કહેતા હતા,

:168

૧૬૮) કે જો અમારી સામે પહેલાના લોકોનું વર્ણન કરવામાં આવતું,

:169

૧૬૯) તો અમે પણ અલ્લાહના નિકટના બંદા બની જતાં.

:170

૧૭૦) પરંતુ આ કુરઆનનો ઇન્કાર કરવા લાગ્યા, બસ ! હવે નજીકમાં જ જાણી લેશે.

:171

૧૭૧) અને અમારું વચન પહેલાથી જ પોતાના પયગંબરો માટે નક્કી થઇ ગયું છે.

:172

૧૭૨) કે ખરેખર તે લોકોની જ મદદ કરવામાં આવશે.

:173

૧૭૩) અને અમારું જ લશ્કર વિજય મેળવશે.

:174

૧૭૪) હવે તમે થોડાંક દિવસ સુધી તેમનાથી મોઢું ફેરવી લો.

:175

૧૭૫) અને તેમને જોતા રહો અને તે લોકો પણ આગળ જોઇ લેશે.

:176

૧૭૬) શું આ લોકો અમારા પ્રકોપની ઉતાવળ કરી રહ્યા છે ?

:177

૧૭૭) સાંભળો ! જ્યારે અમારો પ્રકોપ તેમના મેદાનમાં આવી જશે, તે સમયે તેમની સવાર ખૂબ જ ખરાબ હશે , જે લોકોને સચેત કરવામાં આવ્યા હતા.

:178

૧૭૮) તમે થોડોક સમય સુધી તેમનો વિચાર કરવાનું છોડી દો.

:179

૧૭૯) અને જોતા રહો કે તે લોકો પણ હમણા જ જોઇ લેશે.

:180

૧૮૦) પવિત્ર છે તમારો પાલનહાર, જે ઘણી જ ઇજજતવાળો છે, તે દરેક વસ્તુથી (જેનું મુશરિક લોકો) વર્ણન કરે છે.

:181

૧૮૧) પયગંબરો પર સલામ છે.

:182

૧૮૨) અને દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે.